૧૭ સંતાનના જન્મ પછી બીજા પુત્રની આશા છોડી

Wednesday 04th January 2017 05:44 EST
 

ગરબાડાઃ ઝરીબુઝર્ગ ગામના ગામતળ ફળિયામાં રહેતા રામચંદ સંગોડ તથા કનુબહેનને ૧૮ વર્ષના લગ્નજીવનમાં એક પછી એક એમ કુલ ૧૭ સંતાનો છે. જેમાંથી ૧૫મું સંતાન દીકરો છે. અગાઉ બે દીકરીઓ બાળપણમાં મૃત્યુ પામતા ભવિષ્યમાં પુત્રને કંઇ થઇ જાય તો એક વધુ પુત્રની આશામાં ડિસેમ્બરમાં મહિલાએ ૧૭મી વાર સંતાનને જન્મ આપ્યો હતો. જોકે તે પુત્રી છે. હવે દંપતીએ પુત્રની આશા છોડી દીધી છે અને મહિલાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી લીધું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter