ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી વિસાભાઈ પટેલનું અવસાન

Wednesday 15th April 2020 06:34 EDT
 

અમદાવાદઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને સમાજસેવી વિસાભાઈ પટેલનું ૮મી એપ્રિલે અવસાન થયું છે. મૂળે પલિયડના વતની અને અમદાવાદને કર્મભૂમિ બનાવનારા વિસાભાઈ આશીર્વાદ ટ્રસ્ટ ધરતી પરિવારના પણ મોભી હતા. આ અંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું હતું કે, ૪૨ સમાજના મોભી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના એક મજબૂત સ્તંભ સમાન વિસાભાઈ કે પટેલના અવસાન બાદ કોરોના વાઇરસનું સંક્રમણ ટાળવા માટે કરીને અને કપરી પરિસ્થિતિમાં તેમના નિવાસસ્થાને જઈ શકાય તેમ ન હોવાને કારણે તેઓના સદગત આત્માને પરમ શાંતિ મળે તે માટે પોતપોતાના ઘરે એક સમયે મા ઉમિયાને પ્રાર્થના કરી હતી. વિસાભાઈએ ઉમિયા ફાઉન્ડેશન સહિતની સેવાભાવી સંસ્થાઓ માટે કરોડો રૂપિયાના દાતાઓને પ્રેરણા આપવામાં પણ મહત્ત્વનું અને સરાહનીય યોગદાન આપ્યું હતું. તેથી વિસાભાઈને કેટલાય લોકો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter