રાજપીપળાઃ કેન્દ્રીય વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે રાજપીપળા મુખ્ય ડાકઘર ખાતે તાજેતરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લું મૂક્યું હતું. ડો. એસ. જયશંકરે રાજપીળામાં સરદાર પટેલ ટાઉન હોલ ખાતે સમારંભમાં ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે મને ખુશી છે કે વિદેશ પ્રધાન બન્યા પછી સૌ પ્રથમ વાર ગુજરાતમાં નર્મદા જિલ્લામાં પાસપોર્ટ ઓફિસનો પ્રારંભ મારા હસ્તે થયો છે.