અમદાવાદઃ અમદાવાદ એર પોર્ટ ઉપર ૨૪મીએ રાત્રે એર ઈન્ડિયાની અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટ ટેક ઓફ થયાની ૧૦મી મિનિટે પાઇલટને એન્જિનમાં ક્ષતિ જણાતા તાકીદે એટીસી પાસે ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માગી હતી. એટીસીએ તાકીદે લેન્ડિંગની પરવાનગી આપતાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.

