એર ઇન્ડિયાની સુરત-દિલ્હી ફ્લાઇટ દૈનિક નહીં થાય

Saturday 18th October 2014 06:09 EDT
 
 

એર ઇન્ડિયા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું એક પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અશોક ગજપતિ રાજુને કરાયેલી રજૂઆત પછી સુરતની મુલાકાતે આવ્યું હતું. ચેમ્બરના આગેવાનોએ એર ઇન્ડિયાની ફલાઇટને સવારની ફલાઇટ તરીકે લાવવા તથા તેને ત્રિદિવસીયને બદલે દૈનિક કરવા માગ કરી હતી. એર ઇન્ડિયાએ સુરત દિલ્હી ફલાઇટ માટે ૨૭ ઓકટોબરથી જે વિન્ટર શિડયુલ જાહેર કર્યું છે તે મુજબ એર એર ઇન્ડિયાની ફલાઇટ દિલ્હીથી સવારે ૬.૫૫ કલાકે નીકળી ૮.૪૦ કલાકે સુરત પહોંચશે. સવારે ૯.૧૦ કલાકે સુરતથી ઉપડી ૧૦.૪૫ કલાકે દિલ્હી પહોંચશે. ૭૨ સીટનું આ વિમાન સોમ, બુધ અને શુક્રવાર ચાલશે. વિમાન નાનું છે અને ફૂલ જાય છે તેના આંકડા જોતા આ ફલાઇટ દૈનિક કરી શકાય તેમ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter