એર ઇન્ડિયા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું એક પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અશોક ગજપતિ રાજુને કરાયેલી રજૂઆત પછી સુરતની મુલાકાતે આવ્યું હતું. ચેમ્બરના આગેવાનોએ એર ઇન્ડિયાની ફલાઇટને સવારની ફલાઇટ તરીકે લાવવા તથા તેને ત્રિદિવસીયને બદલે દૈનિક કરવા માગ કરી હતી. એર ઇન્ડિયાએ સુરત દિલ્હી ફલાઇટ માટે ૨૭ ઓકટોબરથી જે વિન્ટર શિડયુલ જાહેર કર્યું છે તે મુજબ એર એર ઇન્ડિયાની ફલાઇટ દિલ્હીથી સવારે ૬.૫૫ કલાકે નીકળી ૮.૪૦ કલાકે સુરત પહોંચશે. સવારે ૯.૧૦ કલાકે સુરતથી ઉપડી ૧૦.૪૫ કલાકે દિલ્હી પહોંચશે. ૭૨ સીટનું આ વિમાન સોમ, બુધ અને શુક્રવાર ચાલશે. વિમાન નાનું છે અને ફૂલ જાય છે તેના આંકડા જોતા આ ફલાઇટ દૈનિક કરી શકાય તેમ હતી.