અમદાવાદઃ વર્ષ ૨૦૧૯માં ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી થઈ હતી. ચૂંટણી પછી કોંગ્રેસે હાઈ કોર્ટમાં અરજી કરી હતી કે, ચૂંટણીપંચ બંધારણ અને લોકપ્રતિનિધિત્વ ધારા મુજબ રાજ્યસભાની પેટાચૂંટણી યોજવામાં નિષ્ફળ રહ્યું છે. કેન્દ્રીય વિદેશ પ્રધાન અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ એસ. જયશંકર તથા જુગલજી ઠાકોરની જીતને પડકારતી અરજીને હાઈ કોર્ટે ૪થી ફેબ્રુઆરીએ ફગાવીને જણાવ્યું કે, રાજ્યસભામાં ટર્મ પૂરી થાય તે પહેલાં ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી પંચ બંધારણીય રીતે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ હેઠળ અલગ અલગ ચૂંટણીઓ કરાવી શકે છે. આ ચૂંટણીઓમાં કોઈ કાયદાનો ભંગ થયો નથી.