ઓઢવના નારીસંરક્ષણ ગૃહમાંથી ૧૪ સગીરાઓ ફરારઃ છને શોધી કઢાઈ

Saturday 30th July 2016 06:56 EDT
 
 

અમદાવાદઃ ઓઢવ નારીસંરક્ષણ ગૃહમાંથી ૨૯મી જુલાઈએ રાત્રે એક સાથે ૧૪ સગીરાઓ ભાગી જતાં પોલીસ તેમજ સંરક્ષણ ગૃહમાં દોડધામ મચી ગઈ હતી. આ તમામ સગીરાઓએ પૂર્વ યોજના અનુસાર ઝઘડો કરતાં મહિલા સુરક્ષાકર્મી જયાબહેન પટેલ પહેલા માળે દોડી ગયા હતા. જ્યાં સગીરાઓએ તેમને બંધક બનાવી માર મારી અને આંખમાં મરચાંની ભૂકી નાંખી ચાવીનો ઝૂડો લઈને મેઇનગેટથી ફરાર થઈ ગઈ હતી. જે પૈકીની છ સગીરાઓને પોલીસે શોધી કાઢી હતી. જ્યારે આઠ સગીરાઓને શોધવા માટે પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભાગી ગયેલી સગીરાઓમાં ચાર બાંગ્લાદેશની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter