અજાણ્યા તોડી ગયા એ દરગાહનું ભાનુશાળી સમાજ દ્વારા નવીનીકરણ

Friday 27th April 2018 08:14 EDT
 
 

નલિયા: અબડાસાના ભવાનીપર ગામે ગયા મહિને લાલછતાપીરની દરગાહમાં અજાણ્યા માણસોએ તોડફોડ કરી હતી. પછી ભવાનીપર ભાનુશાળી મહાજન દ્વારા મજારનું નવીનીકરણ કરાયું હતું. સમસ્ત ગ્રામજનો હિન્દુ-મુસ્લિમ ભાઇઓ એકઠા થઇ મજારના નવીનીકરણ થયા પછી ચાદરપોશી કરી કચ્છની કોમી એકતાનાં દર્શન કરાવ્યાં હતાં. આ માટે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોએ પહેડી કરી હતી. અંદાજિત ૨૦૦ વર્ષ જૂની ભવાનીપર ગામની ભાગોળે પશ્ચિમ બાજુ આવેલી લાલછતાપીરની દરગાહનું સંચાલન અને નિભામણી ભાનુશાળી મહાજન દ્વારા કરાય છે 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter