એનઆરઆઈ દાતા દ્વારા હોસ્પિટલના ગેસ્ટ્રો થિયેટર માટે રૂ. ૨૫ લાખનું દાન

Wednesday 27th June 2018 07:54 EDT
 
 

ભુજઃ કચ્છી લેવા પટેલ સમાજ હેઠળના એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત મેગબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ગેસ્ટ્રોલોજી વિભાગના આપરેશન થિયેટર માટે કેરાના અને વર્ષોથી વિદેશમાં વસતા દાતાએ રૂ. ૨૫.૨૫ લાખનો ચેક દાન પેટે ૨૨મી જૂને લેવા પટેલ સમાજના અગ્રણીઓને અર્પણ કર્યો હતો.
તાજેતરમાં શરૂ કરાયેલા નવા વિભાગની સુવિધામાં લેપ્રોસ્કોપિક ઉપકરણો-એન્ડો વિઝન સિસ્ટમ માટે કેરા ગામના એનઆરઆઈ દાતા પરિવારના મેઘજીભાઇ મૂરજી ભાભાણીએ સ્વ. દાદા રામજીભાઇ ભાભાણી, દાદી કાનબાઇ, પિતા સ્વ. મૂરજીભાઇ, માતા સ્વ. માનબાઇ, મોટાભાઇ સ્વ. દેવજીભાઇ ભાભાણીના સ્મણાર્થે રૂ. સવા પચ્ચીસ લાખનું માતબર દાન આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter