કચ્છમાં અકસ્માતમાં ૧૨ વ્યક્તિનાં મોત

Wednesday 17th July 2019 07:03 EDT
 

ભુજઃ મધ્ય પ્રદેશનો અને હાલ ભુજમાં રહેતો શ્રમજીવી પરિવાર છકડો રિક્ષા અને એક બાઈક પર કચ્છના નાનકડા પ્રવાસે નીકળ્યા હતો. સવારે માતાજીના મઢના દર્શન કરી  ભુજ આવી રહેલા પરિવારને સામત્રા વટાવ્યા બાદ માનકૂવા પહેલાં મહાકાલેશ્વર મંદિર પાસે કાળ ભેટ્યો હતો. સામેથી આવતી ટ્રકે ઓવરટેકની લહાયમાં છકડો રિક્ષા અને બાઈકને ટક્કર મારતાં ૧૮ લોકોમાંથી ત્રણ બાળકો, ત્રણ મહિલા અને છ પુરુષોના મોત નીપજ્યા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter