કચ્છી મહિલાને નાઈરોબીમાં નોકરાણીએ છરીના ઘા માર્યા

Wednesday 18th May 2016 07:38 EDT
 
 

ભુજઃ નારણપરના ૪૦ વર્ષીય વનિતા લાલજી વરસાણી ઉપર તેમના નાઇરોબી ગારાના ઘરે બ્લેક હાઉસ મેડે છરીના ઘા ઝીંક્યા અને ગરમ ઈસ્ત્રીથી ડામ દીધાં હતાં જેના લીધે તમને માથાના ભાગે આઠ ટાંકા આવ્યા અને શરીરે ગરમ ઇસ્ત્રીના ડામ ઉપસી આવ્યાં છે. વનિતાબહેનને કામવાળી સાથે પગારના મામલે સામાન્ય બોલચાલ પછી આ ઘટના બની હતી. ૧૩મી મેએ સવારના સમયે પરિવારજનો કામે ગયા પછી વનિતાબહેન એકલાં હતાં ત્યારે કામવાળીએ ઇજા પહોંચાડતાં વનિતાબહેને બૂમાબૂમ કરતાં પડોશીઓ દોડી આવ્યાં અને તેમને હોસ્પિટલ ખસેડાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter