કીરો ડુંગર વિસ્તારમાં દેખાયા સુવર્ણ રંગના પથ્થરો

Wednesday 10th January 2018 09:42 EST
 
 

નખત્રાણાઃ છારીઢંઢ પાસેના કીરો ડુંગરની તળેટીમાં ફોસિલ્સનું વૈવિધ્ય દેખાય છે. સ્વર્ણિમ પથ્થર સહિતના જીવાશ્મિઓના ધાતુ પરિક્ષણ સહિતના અભ્યાસ સંશોધકો દ્વારા થાય તો વધુને વધુ માહિતી પ્રાપ્ત થઈ શકે છે. જોકે છારીઢંઢ આમ તો પક્ષીઓનું તીર્થસ્થળ છે. દર શિયાળે છારીઢંઢમાં યાયાવરોનો મેળો જામે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે. બરાબર ઢંઢના પશ્ચિમ કીરો ડુંગર આવેલો છે.
આ વિસ્તાર સમુદ્રી વિસ્તાર હતો. કહેવાય છે કે આ કીરો ડુંગર પોતાની અંદર હજારો વર્ષોનો ઈતિહાસ સાચવીને બેઠો છે અને આજે પણ તેની તળેટીમાંથી અનેકાનેક ફોસિલ્સ મળે છે જે વિસ્મય પમાડે છે. આ કીરોમાંથી અનેક ધાતુ, ખનિજ મળી આવે છે. હાલમાં પણ આ પ્રકારના કેટલાય સુંદર પથ્થરો અહીં મળી આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter