કેન્યા એરવેઝના પાયલટે વારસાઇની રૂ. ૧૧.૪૦ લાખની રકમ દાનમાં આપી

Wednesday 03rd January 2018 09:58 EST
 
 

ભુજઃ કચ્છના માધાપરના અને હાલમાં કેન્યા એરવેઝમાં પાયલટ તરીકે ફરજ બજાવતા ભરત લાલજી ગોવિંદ ભંડેરીએ પોતાની પૈતૃક મૂડીમાંથી ૧૧.૪૦ લાખ રૂપિયા માતૃસંસ્થા ભુજ સમાજને દાન આપ્યા હતા. ચેક સ્વીકારતાં પ્રમુખે આભાર માન્યો હતો.
જૂની પેઢીની જેમ નવી પેઢી પણ હવે દાનાગ્ર બની છે તેવા સંકેતરૂપ નાઇરોબીથી કેન્યા એરવેઝમાં પાયલટ યુવાને પિતાએ આપેલા ભાગમાંથી ૬.૪૦ લાખ કન્યા સંસ્કારધામમાં અભ્યાસ કરતી નબળી આર્થિક સ્થિતિ ધરાવતી દીકરીઓના શિક્ષણ માટે જ્યારે પાંચ લાખ રૂપિયા લેવા પટેલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સહાયાર્થે અર્પણ કર્યા હતા. સંસ્થા વતી પ્રમુખ હરિભાઇ હાલાઇ, ટ્રસ્ટી ડો. જે. કે. દબાસિયા, મંત્રી વસંત પટેલે દાન સ્વીકારી આભાર
વ્યક્ત કર્યો હતો. દાતા વતી તેમના પ્રતિનિધિ મૂરજીભાઇ કરસન વરસાણીએ ચેક અર્પણ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter