કોડાયઃ સ્વામિનારાયણ ગુરુકુળમાં સાતમી જાન્યુઆરીએ દશાબ્દિ મહોત્સવનો પ્રારંભ થયો હતો. ગુરુકુળનું નરનારાયણદેવ ભુજ મંદિરમાંથી વિલીનીકરણ થયા બાદ આ પ્રથમ ધર્મ મહોત્સવ છે. મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી અને અન્ય સંતોએ દીપ પ્રાગટ્યથી ઉત્સવનો આરંભ કરાવ્યા પછી મહોત્સવના પ્રારંભે વહેલી સવારે પોથીયાત્રા રાસની રમઝટ સાથે નીકળી હતી. યજમાન પરિવારો દ્વારા પોથીપૂજન બાદ મહંત સ્વામી ધર્મનંદનદાસજી, પાર્ષદ જાદવજી ભગતે આશીર્વચન પાઠવ્યા હતા. શા. અક્ષરપ્રકાશદાસજી (સંસ્કારધામ, માંડવી)એ ગુરુકુળના ઉત્તરોત્તર વિકાસ, સંસ્કારોના સિંચન અને ધર્મમય શૈલી થકી સપનું સાકાર થયાનું જણાવ્યું હતું.