ખારી નદી શિવ મંદિરના વિકાસાર્થે રૂ. ૩૦ લાખનું દાન મળ્યું

Wednesday 13th July 2016 09:26 EDT
 

મસ્કત ઓમાન ખાતે રહેતા સત્સંગીઓ દ્વારા વિશ્વશાંતિ તથા કલ્યાણ અર્થે સંગીતમય મહામૃત્યુંજય જાપ અને યજ્ઞનું અનુષ્ઠાન તાજેતરમાં ભુજમાં કરાયું હતું. આ પ્રસંગે ભૂતનાથ સત્સંગ મંડળ ભુજ ખારી નદી સાર્વજનિક સ્મશાનગૃહ તથા શિવમંદિરના વિકાસ અર્થે રૂ. ૩૦ લાખના દાનની જાહેરાત થઈ હતી.
• વીજચોરી ડામવાના પ્રયાસો વચ્ચે પણ વર્ષે રૂ. ૧૦૦ કરોડની ખોટઃ કચ્છમાં થતી વીજચોરીને રોકવા કે પકડવા મોટાપાયે નિયમિત રીતે ઝુંબેશ ચાલતી હોવા છતાં પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ખેતીવાડી ક્ષેત્રમાં જિલ્લામાં રૂ. ૧૦૦ કરોડ જેટલી વીજચોરી રૂપે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને નુકસાની થતી હોવાની વિગતો બહાર આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter