નવચેતન અંધજન મંડળ માધાપરને સંસ્થાકીય રાષ્ટ્રીય પુરસ્કાર

Wednesday 13th December 2017 09:52 EST
 
 

માધાપરઃ નવચેતન અંધજન મંડળ - માધાપરને વિકલાંગોના કલ્યાણ માટેની શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય પારિતોષિક એનએબી સરોજીની ત્રિલોકનાથ નેશનલ એવોર્ડ- ૨૦૧૭ એનાયત થયો હતો. હોન્ડા મોટર સાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિ.ના જનરલ ડાયરેક્ટર હરભજનસિંગના હસ્તે પુરસ્કાર એનાયત કરાયો હતો. એનએબીના પ્રમુખ દીપેન્દ્ર મનોચા, મંત્રી પ્રશાંત વર્મા તથા ખજાનચી વિજયકુમાર બંસલ ઉપસ્થિત રહ્યા હતા. નવચેતન સંસ્થા વતી સંસ્થાના સહમંત્રી હિમાંશુભાઇ સોમપુરા તથા ખજાનચી ઝીણાભાઇ દબાસિયાએ ટ્રોફી તથા પ્રમાણપત્ર સ્વીકાર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter