કેન્યામાં વસતા કચ્છી પટેલ સમાજ જ્ઞાતિની સભામાં એવો નિર્ણય લેવાયો કે, કચ્છીઓ નૈરોબીમાં રૂ. ૧૦૦ કરોડના ખર્ચે સાર્વજનિક હોસ્પિટલ બાંધશે. ઉલ્લેખનીય છે કે, સભામાં ઉપસ્થિત સભ્યોએ એવો નિર્ણય લીધો હતો કે, આ હોસ્પિટલ માટે લંગાટા નજીક રૂ. ૩૦ કરોડમાં પાંચ એકર જમીન ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને હોસ્પિટલના નિર્માણાર્થે પ્રત્યેક જ્ઞાતિજન એક માસનો પગાર દાન આપશે.