નોટો ન બદલાઈ તો બેંક કેશિયરના ઘરે ગોળીબાર

Wednesday 30th November 2016 08:01 EST
 

ગાંધીધામઃ ભચાઉમાં નાણા બદલવા લાઇનમાં ઊભા રહીને કંટાળેલા એક યુવાને ૨૩મી નવેમ્બરે બેંકના કેશિયરને ઘરે ગોળીબાર કરી નાંખ્યો હતો. યુવક રાત્રે બંદૂક લઇને બેંકના કેશિયરના ઘરે પહોંચીને નાણા બદલાવી આપવા કહેતાં કેશિયરે કહ્યું કે અહીં બદલી શકાય? આ સાંભળતાં ઉશ્કેરાઇને યુવાને હવામાં ગોળીબાર કરી દીધો હતો. જેમાં એક ગોળી કોઈ રીતે ઊંધી ફૂટતાં યુવકને જ વાગી હતી અને ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ચાર દિવસથી કેશ બદલવામાં યુવકનો વારો આવતો નહોતો ૨૩મીએ વારો આવ્યો તો બેંકમાં કેશ ખલાસ થઇ ગઇ. તેથી તે ગુસ્સામાં કેશિયરના ઘરે પહોંચી ગયો. યુવાને અફવાઓ અનુસાર, બેંકો ગેરવહીવટ કરતી હોવાનું માની લઇને રાત્રિના ભાગે કેશિયરના ઘરે ધસી જવાનું પગલું ભર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter