ભુજ શનૈશ્વર ધામે મહિલાઓને શનિદેવ પૂજાની છૂટ જાહેર કરી

Wednesday 03rd February 2016 08:39 EST
 
 

ભુજઃ મહારાષ્ટ્રમાં ભૂમાતા મહિલા સંગઠન દ્વારા શનિ શિંગણાપુર ગામે આવેલા શનિદેવના મુખ્ય સ્થાનકમાં મહિલાઓને પ્રવેશ અને પૂજાની માગ થઈ છે અને મહિલાના પ્રવેશ માટે વિવાદ વકર્યો છે ત્યારે ભુજમાં આવેલા શનૈશ્વર ધામે સ્ત્રી ભાવિકોને પૂજા-અર્ચના માટે ન્યાયના દેવતા શનિદેવ સુધી જવા દેવાની છૂટ ૨૯મી જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી છે. અહીં દર શનિવારે તથા દર શનિ અમાવસ્યાના ભાવિકોની પીડા હરે તેવા શાસ્ત્રોક્ત કાર્યક્રમો યોજાય છે અને શ્રદ્ધાવાનો મોટી સંખ્યામાં જોડાય પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter