ભુજના ચેકડેમો પર ભૂકંપ મૃતાત્માનાં નામ

Wednesday 26th October 2016 08:58 EDT
 

ભુજઃ કચ્છ જિલ્લામાં વર્ષ-૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં અવસાન પામેલી વ્યક્તિઓની યાદગીરીના ભાગરૂપે ભુજ શહેરના ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન નિર્માણ થઈ રહ્યું છે. સ્મૃતિવનમાં બનનારા ચેકડેમોની દીવાલ ઉપર ભૂકંપમાં મૃત્યુ પામેલાઓની યાદગીરી કાયમી રહે તે માટે તેમનાં નામ લખવાના હોવાથી આ યાદી મામલતદાર ઓફિસમાં તથા કલેક્ટર કચેરીની વેબસાઇટ ઉપર પણ પ્રસિદ્ધ કરાઈ છે. મૃત વ્યક્તિઓના સંબંધીઓ તથા લોકો જોઈ શકે તે રીતે આ યાદીની ચકાસણી કરીને સંબંધિત મામલતદાર કચેરીમાં આધારો સાથે ૩૦મી ઓક્ટોબર સુધીમાં નોંધાવવા જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter