લંગાટામાં લેવા પટેલ અગ્રણીઓનું સન્માન

Wednesday 24th August 2016 08:15 EDT
 
 

નાઇરોબી (કેન્યા): કેન્યાના પાટનગર નાઈરોબી ખાતે કચ્છીઓએ સર્જેલા લંગાટા કચ્છ પ્રાંતમાં કચ્છી લેવા પટેલ સમાજ નાઈરોબીએ ૨.૫ એકર ભૂમિમાં હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ આપતા સંકુલનું ૪૦ કરોડ સિલિંગ એટલે કે રૂ. ૩૦ કરોડના ખર્ચે નિર્માણ કરતાં તાજેતરમાં તેનું ઉદ્ઘાટન ભુજ મંદિરના મહંત સ્વામી તેમજ ધર્મકુળ પરિવારના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે આશીર્વાદ આપતાં મહંત સ્વામીએ લંગાટા મંદિરના સર્જનમાં ૨.૫ એકર ભૂદાન તેમજ નોંધપાત્ર આંક સાથે ભૂમિપૂજન કરનાર લેવા પટેલ સમાજના કાર્યકરોને સમગ્ર પ્રાંતના સર્જનમાં યશના હકદાર કહી સન્માન કર્યું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter