નારાયણ સરોવર,દયાપર: અરબ સાગરના કિનારે બિનવારસુ ચરસનો જથ્થો મળવાનું અવિરત ચાલુ છે. એક માસ અગાઉ ૨૬મી ડિસેમ્બરે શેખરનપીર પાસેથી ચરસના ચાર પેકેટ મળી આવ્યા હતા. રવિવારે લખપત પાસે આવેલા ગોપાલપુર બીઓપી કિનારા પર ૭૯ બટાલિયનના જવાનોને પેટ્રોલિંગ વેળાએ ચરસના આઠ બિનવારસુ પેકેટ મળી આવ્યા છે. બીએસએફના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે ચરસના આઠ બિનવારસુ પેકેટ મળી આવ્યા હતા. અત્યાર સુધી કોટેશ્વરના પશ્ચિમ કિનારે પેકેટ મળતા હતા, પણ રવિવારે છેક લખપત પાસે પેકેટ મળતા એજન્સીઓ માટે પણ આ તપાસનો વિષય બન્યો છે.