લતીપુર પાસે અકસ્માતમાં ગાંધીધામના ૩ યુવાનોના મૃત્યુ

Wednesday 29th June 2016 07:30 EDT
 

 ગાંધીધામના ત્રણ યુવાનો અરુણ ચંદુલાલ ઠક્કર (ઉ. ૩૨), ઘનશ્યામ વાલીગરી ગોસ્વામી (ઉ. ૪૧) સુરેશગર હરીગર ગોસાઈ (ઉ. વ. ૩૫) કારમાં ધ્રોલથી ટંકારા જઈ રહ્યા હતા ત્યારે લતીપરુ નજીક હાઈ વે પર જતી કાર અચાનક પુલ સાથે અથડાઈને પુલ તોડીને નીચે મેદાનમાં પડતાં ત્રણેય વ્યક્તિનાં ઘટનાસ્થળે મૃત્યુ થયાં હતાં.
• રૂ. ૧.૨૨ કરોડના ખર્ચે મસ્કા હાઈ વે દ્વિમાર્ગી થશેઃ કચ્છમાં મસ્કાના સિંગલપટ્ટી માર્ગનું રૂ. ૧.૨૨ કરોડના ખર્ચે થનારા વિસ્તૃતિકરણનું ખાતમુહૂર્ત રાજ્યપ્રધાન તારાચંદભાઈ છેડાએ ૨૫મી જૂને કર્યું હતું. એન્કરવાલા હોસ્પિટલ પાસે આ માર્ગનું ભૂમિપૂજન કરતા તારાચંદભાઈએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ ગુંદિયાળી-ત્રગડી રોડને પણ દ્વિમાર્ગી બનાવવા માટેની યોજનાને રાજ્ય સરકારની લીલીઝંડી મળવાની શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter