ભુજઃ આઇબીના જણાવ્યા પ્રમાણે ભારતીય જળસીમા જખૌ કાંઠે એક પાકિસ્તાની માણસે ૧૬મીએ મોડી રાત્રે વિસ્ફોટક ભરેલા ચારથી પાંચ બોક્સ સાથે ઘૂસણખોરી કરી એસયુવી કાર મારફત ગાંધીધામ તરફ જઇ રહ્યો હોવાની બાતમી મળતાં તમામ સુરક્ષા એન્સીઓ સતર્ક થઇ ગઇ હતી.
સુરક્ષા એજન્સીઓના સૂત્રોના જણાવ્યા મુજબ વિસ્ફોટક સાથે શંકાશીલ માણસે ઘૂસણખોરી કરી છે તેવી બાતમી મળતાં નેવી, બીએસએફ, કોસ્ટગાર્ડ તથા પોલીસ તંત્ર સાબદું બન્યું હતું. આ ઉપરાંત પૂર્વ કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા મધરાતથી ગાંધીધામમાં કોમ્બિંગ વધારી દેવાયું હતું અને ગાંધીધામ
તરફ આવતી દરેક ગાડીઓને વિવિધ ટીમો દ્વારા મેદાનમાં લઇ જઇ ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરાઇ હતી.