વ્રજવાણીમાં દાતાઓ દ્વારા ૨૨ રૂમો બંધાશે

Wednesday 17th February 2016 06:52 EST
 
 

રાપર: તાલુકાના વ્રજધામ વ્રજવાણી જ્યાં સાત વીસું (૧૪૦) આહિરાણી સતી થઇ છે તેવા ઐતિહાસિક યાત્રાધામ ખાતે યાત્રાળુઓને વધુ સુવિધા મળી રહે તે માટે આહિર સમાજના સુરતના દાતા કેતન આહિરે ૨૨ નવા અદ્યતન રૂમો બાંધવા માટે દ્વારા રૂ. ૬૦ લાખનું દાન આપ્યું છે. આ ૨૨ રૂમ બાંધવા માટેનું ભૂમિપૂજન સંસદીય સચિવ વાસણભાઇ આહિરની હાજરીમાં થયું હતું. વ્રજવાણી ખાતે યાત્રાળુઓ માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા વર્ષોથી ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter