સગીરાના બળાત્કાર કેસમાં આરોપીને ૧૦ વર્ષની કેદ

Wednesday 16th May 2018 07:56 EDT
 

ગાંધીધામ: કંડલાની સગીરાનું અપહરણ કરી તેને વતન લઈ જઈ તેના પર ગુજારેલા રેપના કેસમાં આરોપીને ૧૦ વર્ષની કેદ થઈ છે. ગાંધીધામમાં રેલવે ઝૂંપડા વિસ્તારમાં રહેનારા જીત ઉર્ફે જ્યુત રાજભાર કંડલાની એક સગીરાનું અપહરણ કરીને તેને ઉત્તર પ્રદેશ પોતાના વતન લઇ ગયો હતો અને પોતાના વતનમાં કિશોરી ઉપર ચારથી પાંચ વખત બળાત્કાર ગુજાર્યો હતો.
૨૯મી એપ્રિલ, ૨૦૧૭ના રોજ બનેલા આ બનાવ અંગે કિશોરીના પિતાએ કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ઉત્તર પ્રદેશથી સગીરાને શોધી હતી અને તેને કચ્છ પરત લવાઈ હતી. પોલીસે જીતને પકડીને જેલભેગો કર્યો હતો.
આ કેસ ગાંધીધામની અધિક સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં ભોગ બનનાર સગીરા તેમજ તેના સંબંધીઓ, મેડિકલ ઓફિસર અને પોલીસ અધિકારીઓનું નિવેદન લેવાયું હતું. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ કેદીને દસ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ ૩૦ માસની સજાનો ચુકાદો આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter