સુખપરના પાટીદાર અગ્રણીઓ ભાજપમાં

Wednesday 29th November 2017 07:29 EST
 

ભૂજઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સંદર્ભે પ્રદેશથી ખાસ આવેલા અગ્રણીઓ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી કે. સી. પટેલ અને પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાની ઉપસ્થિતિમાં કચ્છનાં સુખપરના પાટીદાર સમાજના અગ્રણીઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયેલા અગ્રણીઓમાં માવજીભાઈ રાબડિયા, ચિરામભાઈ શિયાણી, કિરણભાઈ શિયાણી, કલ્પેશભાઈ હીરાણી, દીપેશભાઈ બાલા, કાંતિભાઈ શિવજીભાઈ વેકરિયા, દેવશી વિશ્રામભાઈ રાબડિયા, વિશ્રામ મેપાણી, માવજીભાઈ વાઘજિયાણી, હીરજી ગોરસિયા, વાલજીભાઈ પ્રેમજીભાઈ હીરાણી, મનજી માવજી ગોરસિયાનો સમાવેશ થતો હોવાનું જિલ્લા ભાજપ મીડિયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter