હરામીનાળામાંથી પાંચ પાકિસ્તાની બોટ ઝડપાઈ

Wednesday 16th October 2019 06:22 EDT
 

નારાયણ સરોવર: કાશ્મીરમાંથી ભારતે ૩૭૦ની કલમ હટાવ્યા પછી ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગદિલી ભર્યા બની ગયા છે. તેવામાં પાકિસ્તાનને જોડતી કચ્છની જળસીમામાં પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવવાનો સિલસિલો ચિંતાજનક રીતે વધ્યો છે. ૧૧મી ઓક્ટોબરે રાત્રે હરામીનાળામાંથી પાંચ પાકિસ્તાની બોટ મળી આવી હતી. આ સાથે તમામ એજન્સીઓમાં દોડધામ પણ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર માસની શરૂઆતમાં પણ સિરક્રીકમાંથી બે પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter