૧૫ મેથી કંડલા-અમદાવાદ વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ

Saturday 11th May 2019 06:42 EDT
 
 

ગાંધીધામ: ટ્રુ જેટ વિમાની કંપની દ્વારા આગામી ૧૫ મેથી કંડલા અમદાવાદ વચ્ચે વિમાની સેવા શરૂ કરવામાં આવશે. ૭૨ સીટર વિમાન અમદાવાદથી બપોરે ૨.૫૦ વાગ્યે ઉડાન ભરી બપોરે ૩.૪૫ વાગ્યે કંડલા આવી પહોચશે. કંડલાથી બપોરે ૪.૫૦ વાગ્યે ઉડાન ભરી સાંજે પાંચ વાગ્યે અમદાવાદ પહોંચશે. આ વિમાની સેવાનું બુકિંગ ત્રીજીથી શરૂ કરવામાં આવ્યું છે.
હાલ ટ્રુ જેટ કંપની દ્વારા કંડલા અમદાવાદ વિમાની સેવાનું લઘુતમ ભાડું રૂ. ૯૯૯ રાખવામાં આવ્યું છે. સોમવારથી શનિવાર સુધી આ સેવા કાર્યાન્વિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે કંડલા અમદાવાદ વચ્ચે અગાઉ પણ ૯ સીટર વિમાનની સેવા શરૂ કરવામાં આવી હતી. જો કે તે થોડા સમય બાદ બંધ થઈ ગઈ હતી. હવે પુન: ડોમેસ્ટિક વિમાની સેવા શરૂ થવા જઈ રહી છે. હાલ જેટ એરવેઝની ભુજ મુંબઈની વિમાની સેવા બંધ થઈ જતાં ભુજ અને કંડલાથી મુંબઈની વિમાની સેવાના ભાડા ૨૦ હજાર સુધી પહોંચી ગયા છે ત્યારે જો કોઈ વાયા અમદાવાદ મુંબઈ જાય તો અડધાથી ઓછા ભાડામાં મુંબઈ પહોંચી શકાય. આ વિમાની સેવા શરૂ થતાં કચ્છના ઉદ્યોગ જગતના લોકોને સારો ફાયદો થશે. ચાલુ મહિનામાં જ શરૂ થનારી આ વિમાની સેવા કેટલો સમય ચાલે છે તે જોવું રહ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter