ભુજઃ પંજાબ રેજિમેન્ટ હેઠળ ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા જવાને આત્મહત્યા કર્યાના બનાવને માંડ ૨૪ કલાક થયા હતા તેવામાં ૧૭મી ફેબ્રુઆરીએ ખાવડા સરહદે આર્મીના બાંધા કેમ્પના જવાન ક્રિપાલ મુરલીધર દત્ત (ઉ. વ. ૪૩)એ પણ પોતાની જાતે ગરદનની નીચે ગોળી મારીને મોતનો માર્ગ અપનાવ્યો હતો.
ક્રિપાલ દત્તે ગરદનના નીચેના ભાગે પોતાની સર્વિસ ગનથી ગોળી મારી હતી. લોહીલુહાણ હાલતમાં જવાનનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. મૂળ ઉત્તરાખંડ તરફના વતની આ જવાને કયા કારણે આત્મહત્યા કરી તે સ્પષ્ટ થઈ શક્યું નથી.