‘જ્ઞાતિ સંબંધી પ્રશ્નો ઉકેલવા વસતી ગણતરી મદદરૂપ થશે’

Wednesday 14th December 2016 07:18 EST
 

ભુજઃ સમગ્ર ચોવીસીમાં આદર્શરૂપ માંડવી લેવા પટેલ સમાજ, માંડવી લેવા પટેલ યુવક સંઘના આયોજન હેઠળ માંડવીનાં ૨૧ મા સમૂહલગ્નોત્સવમાં ૩૪ યુગલો લગ્ન બંધને બંધાયા હતા. આ પ્રસંગે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ અરજણભાઇ પીંડોરિયાએ વસતી ગણતરીને ન માત્ર લગ્ન રેશિયો સંબંધી પણ અનેક જ્ઞાતિના પ્રશ્નો ઉકેલવાનો આધાર ગણાવી હતી. તેમણે આ કાર્યક્રમના સફળ આયોજન માટે માંડવી સમાજના સર્વે કાર્યકરોની પીઠ થાબડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter