• નલિયાકાંડની તપાસ નિવૃત્ત જજના વડપણ હેઠળ થશે

Wednesday 15th March 2017 08:49 EDT
 

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અંતે નલિયાકાંડની ન્યાયિક તપાસ કરવા માટે હાઈ કોર્ટના પૂર્વ ન્યાયાધીશનું પંચ નિમવાની જાહેરાત સાતમીએ કરી છે. કોંગ્રેસે સિટિંગ જજ દ્વારા તપાસની માગ કરી હતી. સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ શોભા ઓઝાએ પક્ષના બે સભ્યોની ટીમ દ્વારા સ્વતંત્ર તપાસ શરૂ કરવાનું જણાવ્યું છે. બજેટસત્રની શરૂઆતમાં રૂપાણીએ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી આ મામલે ન્યાયિક તપાસની ખાતરી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter