બારડોલીઃ મઢી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબાકાંઠાની કેનાલમાં પાણી ઓછું થતાં તાજેતરમાં એક ઇકો કાર મળી આવી હતી. કારમાં એક જ પરિવારના પાંચ મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતક પરિવાર ગત ૨૮મી ફેબ્રુઆરીના રોજ વ્યારાના કપૂરાથી કડોદ મંદિરે જવા નીકળ્યા બાદ ગુમ થયો હોવાનું બહાર આવ્યું છે. તેમના સબંધીઓએ મૃતકની ઓળખ કરતાં પોલીસે પેનલ પોસ્ટ મોર્ટમ કરી આગળની તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામનાર પરિવાર વ્યારાના કપૂરામાં રહેતો હતો.
મૃતકોના નામઃ ધર્મેશ જીવણભાઈ ગામીત (૪૧), સુનિતા ધર્મેશ ગામીત (૩૬), ઉર્વી ધર્મેશ ગામીત (૬), જીવણભાઈ ગોમાભાઈ ગામીત (૬૨) અને શર્મિલાબહેન જીવણભાઈ ગામીત (૫૮).