વિરમગામઃ શંખેશ્વરથી ત્રણ કિલોમીટર દૂર આવેલા વિરમગામ હાઇવે પર રૂપેણ નદીના પુલ ઉપરથી સાતમીએ બપોરે એક ટોયોટો કાર રેલિંગ તોડીને ૨૦ ફૂટ ઊંડે નદીમાં ખાબકતાં અમદાવાદમાં સેટેલાઈટમાં રહેતા કોન્ટ્રાક્ટર અશ્વિન ગાંધીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અશ્વિનભાઇ શંખેશ્વરમાં સ્ટેટ બેંકમાં નાણાના વહીવટના કામે સોનલબહેન પરીખ, મુકેશભાઇ રાઠોડ સાથે મિટિંગ માટે આવી રહ્યા હતા ત્યારે બપોરે તેમનું કારના સ્ટિઇરીંગ પરનું બેલેન્સ લથડી જતાં ગાડી રેલિંગ સાથે અથડાઇ હતી અને દિવાલ તોડીને નદીમાં ખાબકી હતી.

