અમદાવાદ: આઇઆઇએમ ઇન્દોરે કેટનું રિઝલ્ટ તાજેતરમાં જાહેર કર્યું છે. આ વર્ષે ગુજરાતમાંથી ૪૫૦૦ વિદ્યાર્થીએ આ માટે પરીક્ષા આપી હતી. તજજ્ઞોના મતે પરિણામમાં રાજ્યના ૩૦૦ વિદ્યાર્થીને આઇઆઇએમ જેવી દેશની જાણીતી મેનેજમેન્ટ કોલેજોમાં પ્રવેશ મળવાની શક્યતા છે. અમદાવાદના આર્યવ્રત બઘેલે ૯૯.૯૯ પર્સન્ટાઇલ સાથે ભારતમાં ૧૦મો અને ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

