કેન્દ્ર સરકારે ગુજરાત હાઈ કોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂક કરી

Monday 05th October 2020 10:45 EDT
 
 

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા ગુજરાત હાઈ કોર્ટના નવા જસ્ટિસ માટે ત્રણ નામની પસંદગીની મંજૂરી પછી કેન્દ્ર સરકારના કાયદા વિભાગે પણ તેના પર અંતિમ મહોર મારી હોવાના અહેવાલ પહેલી ઓક્ટોબરે હતા. અહેવાલોમાં હાઈ કોર્ટના વકીલ વૈભવી નાણાવટી, કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ નિર્ઝર દેસાઈ અને નિખિલ કારિયલની હાઈ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક કરાઈ છે.
વૈભવી નાણાવટી, છેલ્લા બે દાયકાથી હાઈ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે. નિર્ઝર દેસાઈ કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ હોવા સાથે વર્ષોથી ગુજરાત હાઈ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે અને વિવિધ વિષયોમાં મહારથ ધરાવે છે. નિખિલ કારિયલ પણ છેલ્લા બે દાયકા જેટલા સમયથી ગુજરાત હાઈ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે.

હાઈ કોર્ટના પૂર્વ કાર્યકારી ચિફ જસ્ટિસ અનંત દવેનું અવસાન

અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટના પૂર્વ કાર્યકારી ચિફ જસ્ટિસ અનંત દવેનું પાંચમીએ ટૂંકી બીમારી બાદ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં નિધન થયું છે. અનંત દવેએ નવેમ્બર ૨૦૧૮થી ૯ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી હાઇ કોર્ટના કાર્યકારી ચિફ જસ્ટિસ તરીકે અનેક મહત્ત્વના ચુકાદા આપ્યા હતા. હાઇ કોર્ટમાં જસ્ટિ અંત દવેની ખંડપીઠે ગોધરાકાંડ (સાબરમતી એક્સપ્રેસ હત્યાકાંડ) કેસનો ચુકાદો આપ્યો હતો. જેમાં તેમણે ૧૧ દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી અને ૨૦ અન્ય દોષિતોની ફાંસીની સજાને યથાવત રાખી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter