અમદાવાદઃ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીષ ડેર, સાવરકુંડલાના ધારસભ્ય પ્રતાપ દૂધાતને ત્રણ વર્ષ માટે અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. આ નિર્ણય અધ્યક્ષની સત્તા બહારનો હોવાનો તેમજ આટલા લાંબા સમય સુધી કોઈને સસ્પેન્ડ ન કરી શકાય તેવો મુદ્દો રિટમાં ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને લાંબા સમય સુધી સસ્પેન્ડ કરવાના વિધાનસભાના અધ્યક્ષના આ નિર્ણયને હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનો નિર્ણય નિયમ વિરુદ્ધ અને ગેરબંધારણીય હોવાની દલીલ સાથે કોર્ટની દાદ માગવામાં આવી છે.


