કોંગ્રેસમાંથી શંકરસિંહ સહિત ૧૪ની હકાલપટ્ટી

Wednesday 16th August 2017 10:32 EDT
 
 

ગાંધીનગરઃ પ્રદેશ કોંગ્રેસે પક્ષના વ્હીપનો અનાદર કરીને રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને મત આપનાર શંકરસિંહ વાઘેલા સહિત ૧૪ ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. આમાંથી ૬ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા, પણ વ્હીપ આ લોકોનેય મળ્યો હોવાથી બધાને સસ્પેન્ડ કરાયા છે. જે ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા છે તેમાં શંકરસિંહ, તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, અમિત ચૌધરી-માણસા, કરમશી પટેલ-સાણંદ, ભોળાભાઇ ગોહિલ-જસદણ, રાઘવજી પટેલ-જામનગર ગ્રામ્ય, ધર્મેન્દ્રસિંહ જાડેજા-જામનગર ઉત્તર, સી. કે. રાઉલજી-ગોધરા, પ્રહલાદ પટેલ-સિદ્ધપુર, ડો. તેજશ્રી પટેલ-વિરમગામ, માનસિંહ ચૌહાણ- બાલાસિનોર, રામસિંહ પરમાર-ઠાસરા અને છના ચૌધરી-વાંસદાનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter