કોંગ્રેસી કોર્પોરેટર બદરૂદ્દીન શેખનું કોરોનાથી મૃત્યુ

Tuesday 28th April 2020 15:13 EDT
 
 

અમદાવાદઃ મ્યુનિ.ના પૂર્વ વિપક્ષી નેતા અને બહેરામપુરા વોર્ડના ૬૭ વર્ષીય કોંગી કોર્પોરેટર બદરૂદ્દીન શેખનું રવિવારે મોડી રાત્રે કોરોનાથી એસવીપી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ૧૫ એપ્રિલે બપોરે ૪.૩૦ વાગે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને એસવીપીમાં દાખલ કરાયા હતા. શરૂઆતમાં ૪ દિવસ સુધી તેમની તબિયત સ્થિર હતી, પરંતુ અન્ય મલ્ટીપલ બીમારીના કારણે તેમની તબિયત લથડી હતી. તેમની કિડની કામ ન કરતી હોવાને કારણે વેન્ટિલેટર પર લઇ જવાયા હતા. જોકે તે પછી પણ તેમની કિડની કામ ન કરતી હતી. અગાઉ પણ કિડનીની તકલીફ હોવાને કારણે ડાયાલીસીસ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૧૫ એપ્રિલે તેમને દાખલ કરાયા તે પહેલા ૧૪ દિવસથી તેઓ પોતે ઘરની બહાર ન નીકળ્યા ન હતાં, પરંતુ લોકડાઉનના પ્રારંભિક તબક્કે તેમના વોર્ડમાં સ્લમ વિસ્તારમાં જરૂરિયાતમંદોને ફૂટ પેકેટ આપવા માટે જતા હતા. તેઓ દાણીલીમડાના શાલીમાર સિનેમા પાસે રહે છે. આ વિસ્તાર કોરોના માટે હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. તેમનાં પત્ની અને કામવાળા બહેનને પણ કોરોના પોઝિટિવ હોવોથી એસવીપીમાં જ દાખલ કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter