ગાયત્રી મંત્રનું અપમાન કરનાર રાંદેરિયા માફી માગે

Tuesday 13th October 2020 10:27 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા  તેમના નાટકના એક સીનના વાઈરલ થયેલા વીડિયોને લીધે વિવાદમાં છે. નાટકના વાઈરલ વીડિયોમાં દેખાય છે કે, પતિ-પત્ની તાંબાના લોટામાં પાણી ભરીને ગાયત્રી મંત્ર બોલે છે ત્યારે સિદ્ધાર્થ રાંદેરિયા (નાટકમાં પતિ) તેમાં દારૂની બોટલમાંથી દારૂ રેડતાં હોય છે. પત્ની એ તાંબાના લોટાનું દારૂનું મિશ્રણવાળું પાણી પીને ધમાલ મચાવે છે. આ વીડિયો માટે દર્શકોએ જણાવ્યું છે કે, વીડિયોમાં ગાયત્રી મંત્રનું અપમાન થાય તે રીતે તેનું ખોટું અર્થઘટન સિદ્ધાર્થ રાંદેરિયા (પતિ) કરે છે. લોકોએ માગણી કરી છે કે, આ મામલે સિદ્ધાર્થ રાંદેરિયા હિંદુ સમાજની માફી માગે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું કે, સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર છે, પણ તેમણે પોતાના નાટકમાં હિંદુ સંસ્કૃતિનું અપમાન કરીને હિંદુ ધર્મનું અપમાન કર્યું છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter