ગુજરાત ભારતમાં નથી? સુપ્રીમ કોર્ટ

Wednesday 03rd February 2016 06:50 EST
 

નવી દિલ્હીઃ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ તથા મનરેગા યોજનાનો અમલ ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે અમુક રાજ્યો પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ મુદ્દે ગુજરાત પાસે પણ સુપ્રીમે પહેલી ફેબ્રુઆરીએ જવાબ માગતા ઠપકો આપ્યો હતો કે, રાજ્યએ શા માટે મનરેગા યોજનાનો અમલ નથી કર્યો?
સુપ્રીમે જણાવ્યું હતું કે, સંસદમાં પસાર થયેલો કાયદો રાજ્ય શા માટે લાગુ નથી પાડતું? સાંસદો શું કરી રહ્યા છે? શું ગુજરાત ભારતનો હિસ્સો નથી? સુપ્રીમે જણાવ્યું હતું કે, કાયદો કહે છે કે તેના અંતર્ગત આખો દેશ આવરી લેવાય છે, પરંતુ ગુજરાત આ કાયદાનો અમલ નથી કરી રહ્યું. આ રીતે તો કોઈ રાજ્ય આઈપીસીની કલમો લાગુ પાડવા માટે ઇનકાર કરી દેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter