ગુજરાતના પૂર્વ રાજ્યપાલ નરેશ ચંદ્રનું અવસાન

Wednesday 12th July 2017 08:54 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને અમેરિકામાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત પદ્મવિભૂષણ નરેશ ચંદ્રનું ૮૨ વર્ષની વયે ૧૦મી જુલાઈએ અવસાન થયું છે. ઉંમરને કારણે શરીરના તમામ અંગો કામ કરતા બંધ થઈ જતાં તેમણે એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. ત્રણ દિવસ સુધી વોમિટિંગ બાદ તાવ અને દુખાવો થતાં તેમને સાતમીએ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એ પછી તેમને હૃદયરોગનો હુમલો પણ આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter