ગુજરાતમાં મંદી બેરોજગારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસે યોજેલા જન વેદના સંમેલનમાં ભાગ લેવા આવેલા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે, ગુજરાતના મુખ્ય પ્રધાનને ખબર છે કે ગુજરાતમાં દારૂ કયાં પીવાય છે. તેમણે રાજસ્થાન, મધ્ય પ્રદેશ પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાંથી દારૂ ગુજરાતમાં ન આવે તે માટે ત્યાંની સરકાર સાથે વાતચીત કરી વ્યવસ્થા ગોઠવવી જોઇએ. તેના બદલે મારા નિવેદનને તોડી મરોડીને ગુજરાતીઓના અપમાનની વાત કરે છે જે યોગ્ય નથી.