અમદાવાદ: ગુજરાતના વધુ છ આઇએએસ અધિકારીઓની કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય વહીવટી સેવા વર્ષ ૨૦૦૫ની બેન્ચના અધિકારીઓને સંયુક્ત સચિવ પદે નિમણૂંક આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે દેશના કુલ ૪૯ આઇએએસ અધિકારીઓને સંયુક્ત સચિવપદે નિમણૂંક કરી છે જેમાં ગુજરાત કેડરના છ આઇએએસનો સમાવેશ થાય છે. આઇએએસ અિધકારી બંછાનિધી પાની, હર્ષદ પટેલ, કે.કે.નિરાલા, પી.ભારતી, રણજીતકુમાર, અને શાલીની અગ્રવાલને કેન્દ્ર સરકારમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કોરોનાકાળમાં સુરતમાં નોંધનીય કામગીરી કરનારાં બંછાનીધી પાનીની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે.
ઉલ્લેખ થોડાક દિવસો પહેલાં જ કુલ ૭૭ આઇએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી જેમાં આ જ આઇએએસ અધિકારીઓને સરકારે સચિવ તરીકે બઢતી આપી હતી. હવે કેન્દ્ર સરકારે ગુજરાતના આ આઇએએસને દિલ્હી મોકલવા નક્કી કર્યું છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના કેટલાંય સનદી અિધકારીઓ જેમકે હસમુખ અઢિયા, એસ.અર્પણા, અજય ભાદુ, ટી.નટરાજન, અજયકુમાર, અંતનુ ચક્રવર્તી, ગીરીશ મુર્મુ દિલ્હી પહોંચ્યા છે અને અત્યારે વિવિધ વિભાગોમાં ફરજ અદા કરી રહ્યા છે. ગુજરાતી આઇએએસ અધિકારીઓની દિલ્હી પોસ્ટિંગ થતા ગુજરાતમાં આઇએએસ અધિકારીઓની અછત વર્તાઇ રહી છે. ગુજરાતમાં હજુય કેટલાંય અધિકારીઓ દિલ્હી જવાની કતારમાં છે.
આઇએએસ અત્યારે કયાં ફરજ બજાવે છે
બંછાનિધીપાની મ્યુનિ.કમિશનર, સુરત
કે.કે.નિરાલા સચિવ, મહિલા બાળકલ્યાણ
શાલીની અગ્રવાલ મ્યુનિ. કમિશનર, વડોદરા
રણજીતકુમાર કમિશનર,એમએસએમઇ
પી.ભારતી કમિશનર,પ્રા.શિક્ષણ
ગુજરતા કેડરના કયા અધિકારીઓએ દિલ્હીમાં ફરજ બજાવી
• હસમુખ અઢિયા • એસ.અર્પણા • અજય ભાદુ • ટી.નટરાજન • અજયકુમાર • અંતનુ ચક્રવર્તી • ગીરીશ મુર્મુ • ગુરૂપ્રસાદ મહાપાત્રા
• ડી.થારા • બી.બી.સ્વેન • હાર્દિક શાહ • પી.ડી.વાઘેલા • આર.બી.ગુપ્તા • અનિતા કરવાલ • એ.કે.શર્મા • આરતી તંવર