ગુજરાતમાં હાલમાં માત્ર મોટા શહેરોમાં જ એરપોર્ટ છે અને કેટલાક શહેરોમાં એરસ્ટ્રીપ છે. પરંતુ સરકાર હવે નાના-નાના શહેરોમાં પણ એરસ્ટ્રીપ વિક્સાવવા માંગે છે. જેથી નાના શહેરોને પણ હવાઈ સેવાથી સાંકળી શકાય. હાલમાં ગુજરાતમાં નવી છ એરસ્ટ્રીપ વિક્સાવવાનું આયોજન છે અને તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાત સરકારે આપેલી સત્તાવાર માહિતી મુજબ હાલમાં રાજ્યમાં કુલ છ જગ્યાએ હવાઈ પટ્ટી (એર સ્ટ્રીપ) બનાવવાનું આયોજન છે. આ છ શહેરો મધ્યમ કક્ષાના છે. જેમાં અંકલેશ્વર, પાલિતાણા, મોરબી, દહેજ, દ્વારકા અને અંબાજી ખાતે એરસ્ટ્રીપ બનાવાશે. હાલમાં આ તમામ સ્થળે કામ પ્રગતિમાં છે. જેમાં અંકલેશ્વર ખાતે બાઉન્ડ્રી વોલ, લેન્ડ લેવલિંગ કરવામાં આવી રહ્યું છે. પાલિતાણા ખાતે એરસ્ટ્રીય માટે જમીન માપણી અને ડીમાર્કેશન કરવામાં આવ્યું છે.