અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે વિવિધ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં વધારો થતાં ૧૬૩ વિદ્યાર્થીઓએ રાજ્યની વિવિધ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે. ભારત સરકારના ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રીલેશન્સ એટલે કે આઈસીસીઆર હેઠળ વિવિધ દેશોમાંથી દર વર્ષે યુજી-પીજી સહિતના ઉચ્ચ શિક્ષણના વિવિધ કોર્ષ માટે ભારતમાં ભણવા માટે વિદ્યાર્થીઓની અરજી આવી છે અને જેમાં વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાં કયા રાજ્યમાં કઈ યુનિ.માં અભ્યાસ માટે જવું છે તેની પસંદગી આપે છે ત્યારબાદ આઈસીસીઆરની કમિટી દ્વારા એપ્લિકેશન સ્કુટિની કરી અને વિદ્યાર્થીઓનો રેકોર્ડ ચેક કરી નિયમો પ્રમાણે તેમજ વિવિધ માપદંડોને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યોમાં વિદ્યાર્થીઓની ફાળવણી કરતા હોય છે. રાજ્યમાં આ અરજીઓમાં અને એડમિશનમાં આ વર્ષે વધારો નોંધાયો છે.