અમદાવાદઃ રાષ્ટ્ર-રાજ્યની સરહદી સુરક્ષામાં વધારા અને પોલીસને પૂરતું બળ મળે એ આશયે ગુજરાત સરકારે ગુજસીટોક કાયદાને વિધાનસભામાં પસાર કરીને રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલ્યો હતો. કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં ૧લી ડિસેમ્બરથી અમલી બન્યો છે. આ સાથે કોન્ટ્રાક્ટ કિલિંગ, ધાકધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, નાણાકીય લાભો મેળવવા લોકોની છેતરપિંડી જેવા ગુનાઓ નિયંત્રિત થશે. આ કાયદાથી સાયબર ગુના અને નાર્કો ત્રાસવાદ પર પણ નિયંત્રણ થશે.