જેટીની માલિકી મામલે આર્સેલર એસ્સાર વચ્ચે વિવાદ

Tuesday 21st January 2020 05:11 EST
 

અમદાવાદઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની સંપૂર્ણ પ્રક્રિયાને અંતે આર્સેલર મિત્તલે એસ્સાર સ્ટીલ ઇન્ડિયા લિ.ને હસ્તગત કરી તે પછી એસ્સાર સ્ટીલની કેપ્ટિવ જેટ્ટી તરીકે સક્રિય જેટ્ટીની માલિકી માટે આર્સેલર  અને એસ્સાર સ્ટીલ લિ. બંનેએ દાવો કરતાં વિવાદ ઊભો થયો છે. એસ્સાર સ્ટીલનો દાવો છે કે જેટ્ટી-પાર્ટની માલિકી અમારી જ છે. એસ્સાર સ્ટીલ અને પોર્ટ અલગ જ છે. પોર્ટ એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલું છે. આ ટર્મિનલ તૈયાર કરવા ઈબીટીએલના માધ્યમથી રૂ. ૩૨૦૦ કરોડનું રોકાણ કરાયું છે. એસ્સાર પોર્ટના એમડી અને સીઈઓ રાજીવ અગ્રવાલનું કહેવું છે કે એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ એ એક સ્વતંત્ર કંપની છે. આ કંપની પોર્ટના બાંધકામ કરવામાં અને તેના કામકાજના  સંચાલનના ક્ષેત્રમાં કુશળતા ધરાવે છે.વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૦૭માં તેણે ગુજરાત મેરિટાઈમ બોર્ડ સાથે કરાર કર્યા હતા. તેમજ ૨૦૧૦માં પણ તેના લાઈસન્સ અંગે ગુજરાત મેરિટાઈમ બોર્ડ સાથે કરાર કરીને તેને અમલમાં મૂક્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter