ડિજિટલ બેસણામાં સગા પુત્ર સહિત ૧૫૦થી વધુ દ્વારા મૃતકને શ્રદ્ધાંજલિ

Wednesday 08th April 2020 08:45 EDT
 
 

અમદાવાદઃ પુંસરી ગામમાં જયંતીભાઇ દરજીનું ૨૬મી માર્ચે અવસાન થયું હતું. અવસાનના દિવસે જ પરિવારે મોબાઈલ દ્વારા નિર્ણય જાહેર કર્યો કે કોરોનાના કારણે મૃતકની અંતિમવિધિ, બેસણાં અને તમામ લૌકિક ક્રિયામાં હાજર ન રહેવા વિનંતી છે. ફેસબૂક લાઇવ અને વીડિયો કોન્ફરન્સથી યોજાયેલા આ ડિજિટલ બેસણામાં આજુબાજુના ગામમાં રહેતા સ્વજનો ઉપરાંત મુંબઇમાં રહેતો સ્વ. જયંતીભાઇનો પુત્ર પણ જોડાયો હતો. અંદાજે ૧૫૦થી વધુ લોકોએ ડિજિટલ બેસણમાં મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી. બેસણાના સ્થળે માત્ર ૫ લોકો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter