પતિને બરબાદ કરવા પત્નીનો લૂંટનો પ્લાન

Wednesday 09th May 2018 07:38 EDT
 

ભરૂચઃ અંકલેશ્વર જીઆઇડીસીસ્થિત ગુરુકૃપા સોસાયટીમાં ઉદ્યોગપતિ મનસુખ રાદડિયાના મકાનમાંથી ૨૮ એપ્રિલે રૂ. ૩.૫૦ કરોડની લૂંટનો ગુનો ઉકેલી પોલીસે ૬ આરોપીની ધરપકડ કરી છે. ઉદ્યોગપતિની પત્ની શીતલને પતિ સાથે અણબનાવ હોવાથી તેણે પતિને બરબાદ કરવા કર્ણાટકના યુવાન પ્રેમી લીંગપ્પા શેટ્ટી સાથે મળીને લૂંટનો પ્લાન કર્યો હતો. ઉદ્યોગપતિના મકાનના ઉપરના માળે જ લીંગપ્પા રહેતો હતો. લીંગપ્પાના મિત્ર અને મેંગ્લોરના ડોને તેના સાગરિતોને લૂંટ માટે મોકલ્યાં હતાં. તેઓ કર્ણાટકથી કારમાં અંકલેશ્વર આવી રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસે ૫ આરોપીની ગોવાથી ધરપકડ કરી રૂ. ૨.૦૪ કરોડની રોકડ રકમ કબજે કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓને ગોવાના રિસોર્ટમાંથી પકડ્યા હતા. આ ગુનામાં શીતલ રાદડિયા, નારાયણ સાલીયન સહિત છ આરોપીની ધરપકડ કરાઈ છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter